શાળાનો ભવ્ય ઇતિહાસ
આ શાળાના ૧૨૨ વર્ષ થયા. સૌપ્રથમ ત્રણ રૂમ ગાયકવાડ સરકાર શ્રી તરફથી બાંધવામાં આવેલ હતું. ગામ વિશેષના શિક્ષકશ્રી રણછોડભાઈથી શાળાની પ્રગતિ ફીણાવ ગામની પ્રજાએ જ શાળાનો લાભ લીધેલ. ત્યારબાદ સરકારશ્રીની ગ્રાન્ટ આવતી ગઈ તેમ તેમ ૫ રૂમ બંધાયા. ૧૯૭૩માં ત્રણ રૂમ બાંધવા માટે શ્રી ગોરધનભાઈ સોમાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાયા ખોદાયા. પણ લોકફાળાના અભાવે ૨ વર્ષ સુધી કામ ચાલુ ના થયું ત્યારબાદ ગામના વડીલો શ્રી માણેકલાલભાઈ તથા શ્રી અંબાલાલભાઈની જાગૃતિથી શાળાનું બાંધકામ પૂર્ણ કર્યું. આ જૂની શાળામાં ૩૨ વર્ષ સુધી શિક્ષણકાર્ય કરવામાં આવ્યું.
૨૬મી જાન્યુઆરી ૨૦૦૨ના રોજ શાળા પરિવારવતી ૧૧૦ વર્ષ જૂની શાળાને જીણોદ્ધાર માટે હાંકલ કરવામાં આવી.
શાળા પરિવારની આ માંગણીને તે સમયે ઉપસ્થિત અત્રેના વતની અને યુ.એસ. સ્થિત શ્રી દિનેશભાઈ અંબાલાલભાઈ પટેલ દ્વારા શાળાને ૫ લાખનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી. પરંતુ અનિવાર્ય કારણોસર આ યોજનામાં વિલંબ થયો અને શાળાના નવા મકાનની વાત મુલત્વી રહી. દિનેશભાઈની ઈચ્છા એવી હતી કે ફીણાવ ગામમાં જીલ્લાની સર્વશ્રેષ્ઠ શાળા બને, ભૌતિક સુવિધાઓથી સજ્જ શાળા બને, જેને સુંદર મેદાન હોય, શાળાનું પર્યાવરણ સુંદર બને અને ગામની શોભા વધારે. પરંતુ આ વિચાર મૂર્તિમંત થાય એ પહેલા દિનેશભાઈ અક્ષરનિવાસી થયા. આવી દુઃખની ઘડીમાં અંબાલાલ સોમાભાઈ પટેલના પરિવારે સ્થિરતા ધારણ કરી દિનેશભાઈના સ્વપ્નને સાકાર કરવા કમર કસી.
જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હુકમથી તારીખ ૨૩/૨/૨૦૦૦ના રોજ ૫૦% ગ્રાન્ટની કુલ ૧૮,૮૦,૦૦૦ રૂ. ના ખર્ચે ૧૨ ઓરડા બાંધી આપવાનો હુકમ મળ્યો. તે પછી અમરતભાઈ અંબાલાલ પટેલને નવા મકાનમાં પ્રાર્થનાહોલ અને એક વધારાના ઓરડાની વિનંતી કરવામાં આવી. શાળા પરિવારની આ વિનંતીને માન આપીને દાતાશ્રીએ ૧૩ ઓરડા અને સ્વ. દિનેશચંદ્ર પ્રાર્થના હોલ બનાવવા દાન આપવાની ખાતરી આપી. આમ દિનેશભાઈના પરિવારે કુલ ૨૧,૦૦,૦૦૦ રૂ. અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી ૯,૪૦,૦૦૦ રૂ. ની સહાય આપવામાં આવી. આમ અમારી અદ્યતન શાળા તૈયાર થઇ જેનું નામ દિનેશભાઈના માતૃશ્રી રેવાબેન અંબાલાલ પટેલના નામ પરથી "શ્રી આર.એ.પટેલ પ્રાથમિક શાળા ફીણાવ" રાખવામાં આવ્યું.
Friday, August 24, 2012
Monday, August 20, 2012
ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી સિદ્ધિ
સમગ્ર વિશ્વમાં સર્જાતી કુદરતી આપત્તિઓમાં સૌથી સંવેદનસીલ વિસ્તાર પૈકીના એક તરીકે ભારતની ગણના થાય છે.ભારત પ્રદેશ ના લોકો વરસોથી આપત્તિઓના પરિણામે આર્થિક અને સામાજિક નુકસાનનો ભોગ બનતા આવ્યા છે .કુદરતી આપત્તિઓ રોકવી સંભવ નથી.પરંતુ આપત્તિઓ સામે યોગ્ય સમજ અ ને આયોજન દ્વારા આપત્તીથી થતા નુકસાનને અવસ્ય રોકી સકાય છે.
હેતુઓ :
આ કૃતિનો મુખ્ય હેતુ કુદરતી આપત્તિ તેમજ માનવ સર્જિત આપત્તિના જોખમો ઘટાડવા માટેની જરૂરી પદ્ધતિઓ, માળખા, કાર્યક્રમો, સ્ત્રોતો, ક્ષમતાઓ અને માર્ગદશઁક સિદ્ધાંતો ઘડવા યોગ્ય વ્યૂહરચના તથા યોગ્ય ટેક્નોલોજી વિકસાવવાનો છે.
કૃતિની રૂપરેખા:
પ્રસ્તુત કૃતિ માં અમે અહી એક્સીડેન્ટલ એલર્ટ સિસ્ટમનું મોડલ રજુ કરેલ છે. આ મોડલ ની ખાસિયત એ છે કે અકસ્માતની ચોક્કસ જગ્યા, ચોક્કસ વિસ્તાર અને કેટલા કી.મી એ અકસ્માત થયો છે તે જાણી શકાય છે. આ હાઈવેને અલગ અલગ બ્લોકમાં વહેચવામાં આવ્યા છે. દરેક બ્લોક માં સેન્સર્સમુકવામાં આવ્યા છે .દરેક સેન્સર્સનું જોડાણ હાઈવે પર આવેલા કંટ્રોલ રૂમ સાથે કરવામાં આવેલ છે .આ કંટ્રોલ રૂમમાં લાઈટ અને એલાર્મ ને દરેક બ્લોક સાથે જોડવામાં આવેલ છે.જેથી જે બ્લોકમાં અકસ્માત થશે તે સમયે કંટ્રોલ ર્રૂમમાં આવેલા જે તે બ્લોકમાં લાઈટ અને અલાર્મ વાગ્યા કરશે જેથી કંટ્રોલ ઓફિસરને જે તે બ્લોક માં થયેલી અકસ્માતની જાણકારી તે જ સમયે મળી જશે .આમ આ મોડલ દ્વારા વ્યક્તિની અમુલ્ય જીન્દગી બચાવી સકાય છે.આ ઉપરાંત ,
(૧ ) ભૂકંપ અલર્ટ સિસ્ટમ
(૨ ) પૂર અલર્ટ સિસ્ટમ
( ૩) રેઈન અલર્ટ સિસ્ટમ
( ૪) ઇમરજન્સી લાઈટ સિસ્ટમ
( ૫) ફાયરસેફ્ટી એન્ડ સોલ્યુસન








